A katha attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
સદ્ગુરૂના પૂર્વોક્ત વચનામૃતનું શ્રવણ કરી ધર્મદાસજી અત્યંત ખુશી થયા અને ચરણોમાં મસ્તક નમાવી આનંદથી ગદ્ગદ્ બની કહેવા લાગ્યા. ધર્મદાસજી બોલ્યા હે સ્વામી આપની દયાથી હું વ્રતનું રહસ્ય જાણી શક્યો. હવે હું એનો મહિમાં સાંભળવા માગું છું. આપના અમૃત તુલ્ય વચનો સાંભળતા મને સંતોષ થતો નથી. અર્થાત હરદમ સાંભળ્યા જ કરૂં એમ થાય છે. સદ્ગુરૂ કબીર સાહેબ બોલ્યા હે ધર્મદાસજી તમે જીવોના કલ્યાણ સારૂં આ ઘણો સુંદર પ્રશ્ન કર્યો છે. ખરેખર પુનમનું મહાત્મય આ ભવસાગરમાંથી પાર ઉતારનારૂં છે. તેમ નિશ્ચયપૂર્વક સમજો કે આ પુનમ વ્રત બધા પ્રકારના વ્રતોમાં શ્રેષ્ઠ છે. તેમજ સંસારરૂપ બંધન ને તોડી વ્રત કરનારને મુક્તપદે પહોંચાડનારૂં છે. હે ધર્મદાસજી કરોડો તીર્થમાં સ્નાન કરવાથી જે પૂર્ણ મળે તેવી રીતે સમગ્ર પૃથ્વીની પરિક્રમા કરવાથી જે કાંઇ લાભ મનુષ્યને મળી શકે છે તે બધા ફળ શુદ્ધ ભાવે એકજવાર પુનમનું વ્રત કરનારને સહેજે પ્રાપ્ત થાય છે. વળી દેહાંતે તેને મુક્તિ પણ મળી રહે છે. ખરેખર આ વ્રત ધર્મ અર્થ કામ અને મોક્ષને આપનારૂં છે. તે સાથે પૂર્ણને આપનારૂં છે. અને દુઃખ અને દરિદ્રને નાશ કરનારૂં છે. હે વિષય કુલ ભુષણ આ વ્રત સર્વ પ્રકારની સિદ્ધિઓને આપનારૂં છે. તેમજ સુકૃત એટલે પૂણ્યના કર્મોથી વૃદ્ધિ કરનારૂં છે. વળી શુદ્ધ આચરણથી જન્મ મરણને ટાળનારૂં છે. જો કોઇ સ્ત્રી કોઇએ કર્મના પ્રભાવે વંધ્યા હોય તો અને તે જો મન લગાડી આ વ્રતને કરે તો હે ધર્મદાસજી સહેજે જ કુળનો ઉદ્ધાર કરનાર ભક્તિવાન સુપુત્રને જન્મ આપે છે. વળી આ વ્રતના પ્રભાવે કરી મહા રોગો જેવાં કે કોઢ વિગેરે તેમજ દરેક પ્રકારના અભિયોગો વિગેરે દૂર થાય છે. જેવી રીતે પ્રજ્વલીત અગ્નિ લાકડાના ઢગલાને બાળીને ભષ્મ કરે છે. તેવી રીતે આ વ્રતના પ્રભાવે પાપોનો ઢગ નષ્ટ કરે છે. ઉપર પ્રમાણે પુનમ વ્રતનો મહીમા સાંભળી ધર્મદાસજી સંશ્યાકુળ થઈ ફરીથી સદ્ગુરૂને પુછવા લાગ્યા. ધર્મદાસજી બોલ્યા હે સ્વામી આવી સર્વ પ્રકારની સિદ્ધિઓ આપનાર આ વ્રત મૃત્યલોક માનવીઓ કેમ કરતા નથી. સંસારમાં એકાદશી વિગેરે અનેક વ્રતો મનુષ્યો કરે છે. તો પછી એવું કયું કારણ છે કે પુનમના વ્રત તરફ તેઓ ધ્યાન આપતાં નથી. હે સદ્ગુરૂ મારા મનનો આ સંશય મને વ્યાકુળ બનાવી રહ્યો છે. તો હે ભવસાગરમાંથી પાર ઉતારનાર દયાળુદાતા સદ્ગુરૂ મારી શંકા દુર કરો. સદ્ગુરૂ કબીર સાહેબ બોલ્યા હે ધર્મદાસજી! સાંભળો આ સંસાર ઘણો વિચિત્ર છે. આ સંસારના લોકો ઘણું કરીને સાચાં માર્ગથી અને ઉલટા રસ્તે એટલે કુમાર્ગે ચાલનારા છે. જો કે સંસારમાં ઘણા સરળ અને કઠણ વ્રતો છે. પરંતુ તે બધા આ વ્રતની સોળમી કળાની પણ બરાબર કરી શકે તેમ નથી. હે ધર્મદાસજી નાના વિદ્ય વિચિત્ર ફળોને આપનારા અનેક વ્રતો આ સંસારમાં છે. પરંતુ નિવૃતી (મોક્ષ) આપનારા તે બધામાં એકે નથી. એટલા માટે હે સુકૃત જેમને મોક્ષની ઇચ્છા હોય તો બીજા બધા વ્રતોની આશા છોડી દઇ કેવળ એક પુનેમનું વ્રતજ કરવું જોઇએ. આ સંસારમાં ચોવીસ અગિયારસો છે અને તેના ફળો પણ ચોવીસ છે. મુસલમાનોના મઝહબમાં ત્રીસ દિવસનું રોજા નામનું વ્રત છે. પરંતુ તેનું ફળ પણ અવિનાશી નથી. કેમકે તે પણ ફરીથી ગર્ભવાસમાં નાખનારૂં છે, આ સંસારમાં જેવા જેવા ફળની ઈચ્છા હોય છે તેવા તેવા ફળને આપનારા વ્રતનું આચરણ લોકો કરે છે. પરંતુ હે ધર્મદાસજી મોક્ષ માર્ગને દર્શાવનાર અને એટલેજ દુષ્કરો પુનેમનું વ્રતનો અધિકાર કોઇ વીરલોજ નીકળે છે. હે ધર્મદાસજી! અને આ માર્ગ તલવારની ધાર સમજો અને જે કોઈ આ વિકટ માર્ગે વળશે, તે જરૂર મુક્તિનો ભાગીદારી બનશે. હે ધર્મદાસજી પ્રથમારંભમાં અમર પુરૂષ સત્ય પુરૂષે સોળ સુતો ને પેદા કરી તેમને પુનેમ વ્રતનો ઉપદેશ આપ્યો હતો. વળી આ પુનેમ બધા વ્રતોનુ મુળ છે. એના સિવાયના બીજા બધા વ્રતો એના ડાળ પાંખડા છે. વણીક શ્રેષ્ઠ ધર્મદાસજી સદ્ગુરૂના ચરણવિંદમાં મસ્તક નમાવી કહેવા લાગ્યા. ધર્મદાસજી બોલ્યા હે દયાળુ આપને ધન્ય છે તેમજ આપે બતાવેલા વ્રતને પણ ધન્ય છે. વળી પુનમ વ્રતની આરાધના કરનાર એવા હંસજનોને પણ ધન્ય છે. હે સદ્ગુરૂ સ્ત્રીપુરૂષ બંનેવે એક સાથે વ્રત કરવું જોઇએ કે બંનેમાંથી કોઈ એક જણ વ્રત કરે તો બંનેના વ્રતના ફળની પ્રાપ્તિ થઇ શકે છે. હે બંદીછોડ સાહેબ આપ ભક્તોના ત્રણે તાપોને નિવારણ કરનારા છો અને પૂર્ણ દયાળુ છો. એટલા માટે હું આપને આ પુછી રહ્યો છું. આનો ઉત્તર આપવાને સમર્થ છો. સદ્ગુરૂ સાહેબ બોલ્યા હે ધર્મદાસજી તમે સ્ત્રી પુરૂષે કરવાના વ્રત સંબંધે ઘણોજ ઉત્તમ પ્રશ્ન પુછ્યો છે. હે સુકૃત એકાગ્ર ચિત્તે સાંભળો હું એનો પણ નિર્ણય તમને કહી સંભળાવું છું. હે ધર્મદાસજી જે સ્ત્રીને યજ્ઞમાં પુરૂષ ગ્રહણ કરે છે તેમજ પતિની સાથે જેનો સંબંધ છે. પંચ તથા પરમાત્માને સાક્ષી રાખી જોડવામાં આવે છે એવી સ્ત્રીને પુરૂષનું અર્ધુ અંગ ગણવામાં આવી છે. અને એટલા માટે એનું વામાગી નામ પાડ્યું છે. આ સ્થળે યજ્ઞ શબ્દ કરી વિવાહ વીધીનું ગ્રહણ થયેલું છે. આ સંસારમાં જે સ્ત્રીનુ પાણી ગ્રહણ થયું હોય તેજ પુરૂષની સહધર્મણી કહી શકાય છે. આ પ્રમાણેની વિવાહીત સ્ત્રી જો પતિવૃતા હોય તો જ્યાં સુધી દેહમાં પ્રાણનો વાસો રહે ત્યાં સુધી પતિદેવની આજ્ઞાનું કદી ઉલંઘન નથી કરતી તેમજ પુરૂષ પણ એવી રીતે એક પતિવૃતને પાળનાર હોય તો બંને દંપતિ કહેવાય છે અને એકબીજાના અર્ધાંગના ગણાય છે. અર્થાત પુરૂષનુ ડાબુ અંગ, સ્ત્રીનું જમણું અંગ પુરૂષ અંગ તરીકે ઓળખાય છે. આવા પ્રકારના દંપતિમાંથી કોઇ એક આ ઉત્તમ વ્રતનું પાલન કરશે તો હે ધર્મદાસજી તમે નિશ્ચયપૂર્વક જાણો કે એ વ્રતના તે બંને ભાગીદાર બને છે. અને તે જો બંને સાથે વ્રત કરે તો પછી તેના પુણ્યની અવધીશી અર્થાત અનંત પુણ્ય થાય છે. નિશ્ચયપૂર્વક તેઓ સંપતિથી તેમજ સંતતીથી સંયુક્ત બને છે એમાં જરાપણ સંદેહ નથી. જે સ્ત્રી પુરૂષ અતિથી સેવામાં તત્પન રહી ત્રણે પ્રકારની હિંસાથી દુર રહે છે અર્થાત કોઇ પણ પ્રાણીને પોતાના તરફથી ક્લેશ આપતા નથી તેમજ પ્રાણીમાત્રને પોતાના આત્માસમાન સમજી ઉત્તમ માનવ ધર્મને ધારણ કરે છે. ભુખ્યાને અન્ન, તરસ્યાને નિર્મળ એટલે પાણી અને વસ્ત્રહીનને સુંદર વસ્ત્ર આપે, શરણાગતની રક્ષા તથા દીનજનો ઉપર પુત્રના સમાન પ્રેમ રાખે છે તેમજ અભ્યાગતનું મધુર વચનો વડે સ્વાગત કરે છે. હંમેશા સત્યનામ સુમરણ ભજનમાં ધ્યાન મગ્ર રહે છે. હે ધર્મદાસજી આવાજ ગૃહસ્થાશ્રમી સ્ત્રી પુરૂષ દેહ છોડ્યા પછી જરૂર સત્ય લોકના અધિકારી બને છે. આ મારો દૃઢ મત છે. એ સિદ્ધાંત છે. આ પ્રમાણે સદ્ગુરૂ કબીર અને ધની ધર્મદાસ સાહેબના સંવાદનો પૂર્ણિમાં વ્રત કથાનું મહાત્મન તથા દંપતિવૃતનો ફળીઆ નામનો ચોથો અધ્યાય પૂરો થયો. સદ્ગુરૂ દેવકી જય.
Om bhur bhuvah svah. Tat savitur varenyam bhargo devasya dheemahi.
Vishvamitra (Rigveda 3.62.10)
Om asato ma sadgamaya. Tamaso ma jyotirgamaya.
Brihadaranyaka Upanishad 1.3.28
Twameva mata cha pita twameva. Twameva bandhushcha sakha twameva.
Pandava Gita (traditional)
Vakratunda mahakaya surya-koti sama-prabha. Nirvighnam kuru me deva sarva-karyeshu sarvada.
Traditional Ganesh dhyana
Shubham karoti kalyanam aarogyam dhana-sampada, Shatru-buddhi-vinashaya deepa-jyotir namo'stu te.
Traditional (Deepa shloka)
Om sarve bhavantu sukhinah sarve santu niramayah, Sarve bhadrani pashyantu ma kashchid duhkha-bhag bhavet.
Traditional (Shanti Mantra)
indiabhajans.weebly.com — gujarati-book-purnima_vrat_katha.doc