A katha attributed to Traditional.
Voice Lab
Record yourself reciting or singing this work once. Stored only on this device, never uploaded. The player will use your recording instead of the synthetic chant whenever you tap play.
સદ્ગુરૂના મુખારવિન્દથી વ્રત નિરંતર વચમાં ખંડિત થયા સિવાય અખંડ રીતે કરવું જોઇએ એવી આજ્ઞા સાંભળી ગુરૂ ધનીધર્મદાસજી સાહેબને પુછવા લાગ્યા. ધર્મદાસજી સાહેબ બોલ્યા હે દયાસિંધુ આપે જે અખંડ રીતે વ્રતનું પાલન કરવાની આજ્ઞા કરી તો એ સંબંધી લોક હિતાર્થે મારે કંઇક વિશેષ પુછવાની જીજ્ઞાસા છે તેથી પૂછુ છું. હે સાહેબ દુઃખ શોક નાના પ્રકારના વ્યાધિઓથી પરિપૂર્ણ તેમજ નાશવાન એવા આ સંસારમાં રહી નીરંતર અખંડરીતે વ્રતનું પાલન કેવી રીતે થઈ શકે. હે સદ્ગુરૂ જો આ શોચ દશામાં (સુતક)માં પુનમની તીથી આવી જાય તો તે દિવસે વ્રત કેવી રીતે થઇ શકે એ બાબતમાં નિર્ણય દર્શાવો. સદ્ગુરૂ કબીર સાહેબ બોલ્યા હે ધર્મદાસજી જે તમે આ શોચ દશામાં આવેલા પુનમ વ્રત માટે નિર્ણય પુછયો છે તો એ સંબંધી તમને એક પ્રાચીન ઇતિહાસ કહી સંભળાવું છું, તે સાંભળો. પહેલા કોઈ એક નગરમાં ધન ધાન્યથી રહીત એક વાણીયો સદ્ગુરૂનો દાસ (ભક્ત) રહેતો હતો તેની સ્ત્રી ઘણીજ સાધ્વી અને પતિવૃતા હતી. તેને કાંઇ સંતાન ન હતું. તે બંને દંપતિ નિયમ પુર્વક પુનમના વ્રતના પ્રભાવે સાધ્વી શુભ લક્ષણો વડે શોભાયમાન ગર્ભને ધારણ કરી પોતાના ઘરની શોભા વધારવા લાગી. એનો પતિ વેપાર અંગે કંઈક દૂર દેશાવર ગયો હતો. આવા સમયમાં સુમુખીએ પૂનેમના રોજ શુભ મુર્હતમાં એક સુંદર પુત્રને જન્મ આપ્યો. આ શુભ સમાચાર સાંભળતા જ આડોશી-પાડોશીની સ્ત્રીઓ ત્યાં આવી ભેગી થઈ, અને આનંદથી પુત્ર પ્રાપ્તીની વધાઇમાં મંગળ ગીત ગાવા લાગી. સ્ત્રીઓએ તે સમયે કરવો બધો ઉચીત વીધી પૂરો કર્યો અને પ્રસુતા સ્ત્રીને ભોજન આપવાનો પ્રબંધ કરવા લાગી. સ્ત્રીઓને ભોજન માટેની તૈયારી કરતી જોઇને પુત્રની માતા તે દિવસના પુનેમના વ્રતને યાદ કરી કહેવા લાગી. પુત્રની માતા બોલી હે બ્હેનો આંજે હું કોઇપણ રીતે અન્ન લઈ શકીશ નહિ. કારણ કે આજે મારે પુનમનું વ્રત છે તે સતત એક સરખી રીતે ખંડિત થયા વગર આજ સુધી હું કરતી આવી છું. આવી રીતે વૃદ્ધિ પામેલા મારા વ્રતને હું કેવળ પુત્રને માટે છોડીશ નહિ. ભલે પછી મારો કે મારા પુત્રનો દેહપાત થાય. આજનો દિવસ ઘણોજ પુણ્યશાળી છે. કે આજેજ અત્યંત પવિત્ર પુનેમ તીથી આવી છે. એટલા માટે હે પૂણ્યવાન બ્હેનો આજે હું મનોયોગ પૂર્વક આ ઉત્તમ વ્રતનું પાલન કરીશ. હે બ્હેનો પુનેમના રોજનો વ્રત કરનાર સ્ત્રી કે પુરૂષ અન્નહારનો વિચાર સરખોએ કરવો ન જોઇએ અને પવિત્ર થઇ સત્ય તેમજ સદ્ગુરૂના નામનો નિરંતર જાપ કરવો જોઇએ. સંધ્યાકાળે પુર્ણચંદ્રના દર્શન કર્યા પછી વ્રત કરનારે વ્રતની સમાપ્તી માટે પુર્ણ વીધી કરવી. હે ધર્મદાસજી ઉપર પ્રમાણે પ્રસુતાનું કથન સાંભળી સ્ત્રીઓ તેને કહેવા લાગી. સ્ત્રીઓ બોલી હે મંદભાગીની આ શું બોલી રહી છે. આ અસુચી સુતકની દશામાં વ્રત કેવી રીતે થઈ શકે. અશોચ દશામાં ઉપવાસ વિગેરે કેવી રીતે થઇ શકે. ઉપવાસ અને શુભ કાર્યો નહિ કરવા જોઇએ આ લોકરીતનું ઉલંઘન કરવા કેમ તત્પર થઈ છે. એ વિવેકવાળી સુભાગી બીજી પુનેમ આવે ત્યારે તારે વ્રત કરી લેવું કે જ્યારે તું આ અશોચમાંથી પણ નીકળી જઇશ. આ પુત્રરૂપી માંસપીંડ બહાર આવવાથી તારૂં પેટ ખાલી પડી ગયું છે. તે જો જલ્દીથી અન્નપૂર્ણ નહિ કરવામાં આવશે તો તારૂં મરણ થશે. અર્થાત આ વખતે ખોરાક લેવો જરૂરી છે, માટે બીજી બધી વાતો પડતી મૂકી ખોરાક લેવાનું કબુલ કર. એટલા માટે કે સુમુખી તું તારા આ બાળકની હીત ખાતર પોતાના શરીરને દૃઢ રાખવા માટે તારે યોગ્ય ભોજન બનાવરાવ. આ પ્રમાણે એ સ્ત્રીઓને સાંભળી દૃઢ વ્રતવાળી પુત્રની માતા પોતાની સંભાળ રાખતી રહી અને શુભ વચન કહેવા લાગી. પુત્રની માતા બોલી હે બ્હેનો અશોચમાં વ્રત નહિ કરવું જોઇએ એ તમારી વાત મને સર્વ રીતે માન્ય છે. પરંતુ આ અશોચના નિર્ણય સંબંધે હું તમને એક વાત પૂછું છું. તો તમે બતાવી શકો છો કે શરીર તથા આત્મા આ બંનેમાં શુદ્ધ કોણ છે અને અશુદ્ધ કોણ છે. તત્વ દર્શી મહાત્માઓ તો પુરાતન આત્માને સર્વ અવસ્થાઓમાં શુદ્ધ જ બતાવે છે. એટલું નહિ પરંતુ વેદ તથા શાસ્ત્રોમાં પણ આત્માને શુદ્ધ જ બતાવેલો સાંભળવામા આવ્યો છે. હવે રહ્યો દેહ તે તો મળ, મુત્ર, માંસ, રૂધીર, હાડકા, ચામડાં વિગેરે અસુચી અશુદ્ધ પદાર્થોના સમુહરૂપે તેમજ નવે દ્વારાએ સર્વદા દુર્ગન્ધી પૂર્ણ હોવાને કારણે તેમાં કેવી રીતે અને કયા પ્રકારની શુદ્ધતા રહી શકે છે. એટલા માટે હે સખીઓ! જેના ભાવ (અંતઃકરણ) શુદ્ધ છે તે હંમેશા શુદ્ધ જ છે, તેથી હે બ્હેનો દેહ અશુદ્ધ છે તો પણ મારો આંતરીક ભાવ તો સર્વદા શુદ્ધ જ છે. જરા બતાવો તો ખરા કે જો કદાચ અસુચી પણામાં દેહ છૂટી જાય તો આ જીવની કેવી દશા થાય. શુદ્ધ આચરણ વીના આ આત્મા ક્યાં જઇને વાસ કરશે વળી તમે અન્ન નહિ લેવાથી મોટા સંકટની વાત કરો છો તો તેટલા સારૂં જલ્દીથી અન્ન, જળ લેવાનો આગ્રહ કરો છો, તો બ્હેનો સાંભળો સુખમાં તો સૌ કોઈ ધર્મચરણમાં તત્પરતા બતાવે છે પરંતુ તે જીવોને જ ધન્યવાદ છે કે જેઓ અત્યંત સંકટમાં આવી પડયા છતાં પણ પોતાનું વ્રત છોડવા કદી પણ તૈયાર થતાં નથી, આજે પુનમના દિવસે જ પુત્ર રત્નની પ્રાપ્તી થઈ છે તે મને શત્રુ જેવી લાગે છે. એટલા માટે એની ખાતર જ હું મારૂં પોતાનું અખંડ વ્રત કદી પણ ખંડિત થવા દઈશ નહિ. મારી આ ઈચ્છા સદ્ગુરૂ પુર્ણ કરવાવાળા છે, સાંભળો જો કે આજે પુનેમ છે. તેથી મન લગાડી હું વ્રત કરીશ. અકાળ વૃથા હું મારા નિયમનું ઉલંઘન કરીશ નહિ. હર હંમેશથી મારૂં આ પુનમનું વ્રત અખંડ ચાલતું આવ્યું છે. હે સુકેશી! બ્હેનો સદ્ગુરૂ પ્રત્યેના આ અખંડ પ્રેમને હું એકાએક વચમાં કેવી રીતે છોડી શકું વળી તમારા કહેવા માત્રથી ભક્તિ મુક્તિ બંનેને આપનાર તથા કેટલાએ વર્ષોથી નિરંતર એક સરખી રીતે વચમાં ખંડિત થયા સિવાય ચાલતું આવેલું આવું ઉત્તમ વ્રત હું કેમ કરી છોડી શકું. હે બ્હેનો તમે તો આ ઘણી નસારી મતી સુઝારી કે જે મને સીધી નરકમાં ઘસડી જાય. હું તમારા કથન કદી પણ માનીશ નહિ. સદ્ગુરૂ મારી સહાયતા કરશે. આ પ્રમાણે સદ્ગુરૂ કબીર ધની ધર્મદાસજી સાહેબનો કથાનો પૂર્ણિમા વ્રત કથાનો અશોચ સમયનો વ્રત વિવેચના નામનો અધ્યાય બીજો પૂરો થયો. બોલો કબીર સાહેબકી જય.
Om bhur bhuvah svah. Tat savitur varenyam bhargo devasya dheemahi.
Vishvamitra (Rigveda 3.62.10)
Om asato ma sadgamaya. Tamaso ma jyotirgamaya.
Brihadaranyaka Upanishad 1.3.28
Twameva mata cha pita twameva. Twameva bandhushcha sakha twameva.
Pandava Gita (traditional)
Vakratunda mahakaya surya-koti sama-prabha. Nirvighnam kuru me deva sarva-karyeshu sarvada.
Traditional Ganesh dhyana
Shubham karoti kalyanam aarogyam dhana-sampada, Shatru-buddhi-vinashaya deepa-jyotir namo'stu te.
Traditional (Deepa shloka)
Om sarve bhavantu sukhinah sarve santu niramayah, Sarve bhadrani pashyantu ma kashchid duhkha-bhag bhavet.
Traditional (Shanti Mantra)
indiabhajans.weebly.com — gujarati-book-purnima_vrat_katha.doc